A PHP Error was encountered

Severity: Warning

Message: file_get_contents(): SSL operation failed with code 1. OpenSSL Error messages: error:0A000126:SSL routines::unexpected eof while reading

Filename: user/video_full_view.php

Line Number: 60

EXOTIC NEWS SURAT CRIME ADAJAN MURDER UPDATE

Total Views :

50

EXOTIC WEB MEDIA DIGITAL CHANNEL WORLD WIDE NEWS CRIME SURAT સુરતઃપાલ ગૌરવપથ પર અનૈતિક સબંધ રાખતી પત્નીની હત્યા કરવાનો ગુનો અડાજણ પોલીસે ગણતરીના કલાકમાં ઉકેલી કાઢ્યો છે. મોડી રાત્રે પ્રેમી મળવા આવતા થયેલા ઝઘડામાં પત્નીએ પુત્રને મારી નાખવાનું કહેતા વિચલિત થઇ ગયેલા પતિએ પત્નીની જ હત્યા કરી નાખી હોવાનું બહાર આવ્યું છે. અડાજણ પીઆઇ એસ.એમ.ચૌધરીએ જણાવ્યું હતુંકે, રામગોપાલ અને માયાએ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન તેમને બે વર્ષનો પુત્ર છે. માયાને મનીરૂલ હક સાથે અનૈતિક સંબંધ બંધાયો હતો. બેને જણા વોટ્સઅપ પર વોઇસ મેસેજની આપલે કરીને વાતો કરતા હતા. અને મોડી રાત્રે મળવાનું પણ નક્કી કરતા હતા. આ અંગે રામગોપાલે તેના સાસરિયાઓને જાણ કરી હતી પરંતું તેમણે મધ્યસ્થી કરવાનો ઇન્કાર કરી દીધો હતો. દરમિયાનમાં મંગળવારની રાત્રે 2.30 કલાકે માયા અને મનીરૂલે વોઇસ મેસેજ દ્વારા મળવાનું નક્કી કર્યુ હતું. રામગોપાલ પાછળ આવતા પ્રેમી દિવાલ કુદીને નાસી ગયો હતો. જ્યારે રોમગોપાલ પત્નીને રૂમમાં લઇ ગયો હતો. જ્યાં બંને વચ્ચે ઝઘડો થયો હતો પત્ની માયાએ છુટાછેડા લેવાની વાત કરી હતી. જ્યારે રામગોપાલે પોતાના બે વર્ષના દિકરાને લઇ જવાનું કહેતા ઉશ્કેલાયેલી માયાએ દીકરાને મારી નાખવાની ધમકી આપી હતી. પત્નીએ બાળકને મારી નાખવાની ધમકી આપતા રામગોપાલને આવેશમાં આવી ગયો હતો. જ્યારે સવારે પાચ વાગ્યે માયા ટોયલેટમાં ગઇ ત્યારે પતિ રામગોપાલ પાછળ ગયો હતો અને તેની જ સાડી વડે ગળે ટૂંપો આપી હત્યા કરી નાખી હતી. અને લાશને ટોયલેટની દિવાલ પરથી લાશને ફેંકી દીધી હતી. પોલીસ સામે ભાંગી પડેલા રામગોપાલને પત્ની પ્રત્યે લાગણી હોવાથી તેનો અંતિમ સંસ્કાર કરી શકે તે માટે નજીકમાં જ લાશ ફેંકી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી.

Publish Date :

2019-12-19 01:43:42

Recommended Videos

IMG